આત્માવબોધ પ્રકરણ 4
By Purvacharya Shri Jayeshshekharsuri M. · 10 July 2019 · 1 min read
जो जाणइ अप्पाणं अप्पाणं सो सुहाणं न हु कामी।
पत्तम्मि कप्परुक्खे रुक्खे किं पत्तणा असणे?।।
– આત્માવબોધ પ્રકરણ 4
જે પોતાને જાણી લે છે, તે પોતાના સુખ માટે કામના કરતો નથી
(કેમકે સુખ મળી જ જાય છે. પોતાને ન જાણવાથી જ દુઃખ
પેદા થાય અને દુઃખ થાય છે માટે સુખની કામના કરવી પડે છે).
કલ્પવૃક્ષ પ્રાપ્ત થયા પછી લુક્ખા સુક્કા ખોરાકની પ્રાર્થના કોઈ કરે?
પૂર્વાચાર્ય શ્રી જયશેખરસૂરિ મ.



